અણ્ણાએ બાબા રામદેવ સમક્ષ શરતો મૂકી
તા. 27, જૂન વરિષ્ઠ ગાંધીવાદી અણ્ણા હઝારેએ પોતાના અનશનમાં યોગ ગુરૂ બાબા રામદેવને સામેલ કરવાના પ્રસ્તાવ પર કહ્યું છે કે "આ માટે અમે કેટલીક શરતો મૂકી છે." આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના જંતર-મંતર પર અનશન પર બેઠેલા ગાંધીવાદી અણ્ણા હઝારેએ મંચ પર યોગ ગુરૂ બાબા રામદેવનું સ્વાગત કર્યું હતું. અણ્ણા હજારેએ 16 ઓગસ્ટથી ફરી એક વખત અનશન પર બેસવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં રવિવાર મોડી સાંજે અણ્ણા હઝારેએ કહ્યું કે "બાબા રામદેવે મારી સાથે અનશન પર બેસવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ મેં તેમની સમક્ષ કેટલીક શરતો મૂકી છે. જો તેઓ શરતો માની લેશે તો હું આ વિશે વિચાર કરીશ." આ વિશે અણ્ણા હઝારેના નેતૃત્વવાળા સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓના એક સભ્યએ કહ્યું કે આ પ્રથમ મોકો નથી જ્યારે અણ્ણા હઝારેએ આમ કહ્યું છે. આ પહેલા પણ તેમને કહ્યું હતું કે બાબા રામદેવ સાથે કેટલાક નિશ્ચિત મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ તેઓ અનશનમાં તેમના સામેલ થવાનું સ્વાગત કરશે. સરકારી અને સિવિલ સોસાયટીની સંયુક્ત ડ્રાફ્ટિંગ કમિટિમાં એક મજબૂત લોકપાલ વિધેયક તૈયાર કરવામાં નિષ્ફળ રહેલા અણ્ણા હઝારેએ 16 ઓગસ્ટથી ફરી અનશનની જાહેરાત કરી છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ બાબા રામદેવના અભિયાનનું સમર્થન કરનારા અણ્ણા હઝારે કેટલાક મુદ્દાઓ પર બાબા સાથે સહમત ન હતાં.


1 Comments:
fine news
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home